પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાણીતા કાર્ટૂનિસ્ટ શ્રી નારાયણ દેબનાથજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 18 JAN 2022 2:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કાર્ટૂનિસ્ટ શ્રી નારાયણ દેબનાથજીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી નારાયણ દેબનાથજીએ તેમની કૃતિઓ, કાર્ટૂન અને ચિત્રો દ્વારા અનેક લોકોનાં જીવનને ઉજ્જવળ બનાવ્યું. તેમની કૃતિઓ તેમના બૌદ્ધિક કૌશલ્યને પ્રતિબિંબિત કરે છે. તેમણે બનાવેલા પાત્રો સનાતન લોકપ્રિય રહેશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ." 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790689) Visitor Counter : 226