પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આર્મી ડે પર ભારતીય સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
15 JAN 2022 9:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મી ડે નિમિત્તે ભારતીય સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આર્મી ડેના અવસર પર ખાસ કરીને આપણા બહાદુર સૈનિકો, આદરણીય નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય સેના તેની બહાદુરી અને વ્યવસાયિકતા માટે જાણીતી છે. રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ભારતીય સેનાના અમૂલ્ય યોગદાનને શબ્દોથી ન્યાય આપી ન શકાય.
ભારતીય સેનાના જવાનો પ્રતિકૂળ પ્રદેશોમાં સેવા આપે છે અને કુદરતી આફતો સહિત માનવતાવાદી કટોકટી દરમિયાન સાથી નાગરિકોને મદદ કરવામાં મોખરે છે. વિદેશમાં પણ શાંતિ મિશનમાં સેનાના અદભૂત યોગદાન પર ભારતને ગર્વ છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1790071)
आगंतुक पटल : 332
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam