પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આર્મી ડે પર ભારતીય સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 15 JAN 2022 9:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મી ડે નિમિત્તે ભારતીય સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આર્મી ડેના અવસર પર ખાસ કરીને આપણા બહાદુર સૈનિકો, આદરણીય નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય સેના તેની બહાદુરી અને વ્યવસાયિકતા માટે જાણીતી છે. રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ભારતીય સેનાના અમૂલ્ય યોગદાનને શબ્દોથી ન્યાય આપી ન શકાય.

ભારતીય સેનાના જવાનો પ્રતિકૂળ પ્રદેશોમાં સેવા આપે છે અને કુદરતી આફતો સહિત માનવતાવાદી કટોકટી દરમિયાન સાથી નાગરિકોને મદદ કરવામાં મોખરે છે. વિદેશમાં પણ શાંતિ મિશનમાં સેનાના અદભૂત યોગદાન પર ભારતને ગર્વ છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790071) Visitor Counter : 266