પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ રસીકરણ અભિયાનના 150 કરોડની સિધ્ધિને પાર કરવા બદલ સાથી નાગરિકોને અભિનંદન પાઠવ્યા

Posted On: 07 JAN 2022 9:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રસીકરણ અભિયાનના 150 કરોડની સિધ્ધિને પાર કરવા બદલ સાથી નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત એ તમામ લોકોનો આભારી છે જેઓ અમારા રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કહ્યું;

"રસીકરણના મોરચે એક અદ્ભુત દિવસ! 150 કરોડની સિધ્ધિને પાર કરવા બદલ અમારા સાથી નાગરિકોને અભિનંદન. અમારા રસીકરણ અભિયાને સુનિશ્ચિત કર્યું છે કે ઘણા લોકોના જીવન બચાવ્યા છે. તે જ સમયે, ચાલો આપણે બધા COVID-19 સંબંધિત પ્રોટોકોલનું પણ પાલન કરીએ.

ભારત એ તમામ લોકોનો આભારી છે જેઓ અમારા રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. અમે અમારા ડોકટરો, વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને આરોગ્ય સંભાળ કાર્યકરોનો આભાર માનીએ છીએ જેઓ લોકોને રસી આપી રહ્યા છે. હું તમામ પાત્રોને તેમના શોટ્સ મેળવવા વિનંતી કરું છું. ચાલો સાથે મળીને કોવિડ-19 સામે લડીએ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1788526) Visitor Counter : 206