પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘વિક્રાંત’ના પ્રથમવાર સમુદ્રી પરીક્ષણ માટે ભારતીય નેવી અને કોચિન શિપયાર્ડ લિમિટેડને અભિનંદન પાઠવ્યા

Posted On: 04 AUG 2021 9:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ના પ્રથમ સમુદ્રી પરીક્ષણ માટે ભારતીય નેવી અને કોચિન શિપયાર્ડને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે આ મેઈક ઈન ઈન્ડિયનું સુંદર ઉદાહરણ છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “સ્વદેશી વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ની ડિઝાઈન ભારતીય નેવીની ડિઝાઈન ટીમ દ્વારા તૈયાર થઈ અને તેનું નિર્માણ @cslcochin દ્વારા થયું, હવે તે પ્રથમવાર સમુદ્રી પરીક્ષણ માટે રવાના થયું. @makeinindiaનું આ એક સુંદર ઉદાહરણ છે.  @indiannavy અને @cslcochinને આ ઐતિહાસિક સિમાચિહ્ન પ્રસંગે અભિનંદન.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1742542) Visitor Counter : 263