પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાન એથલીટ શ્રી મિલ્ખા સિંહના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
19 JUN 2021 8:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન એથલીટ શ્રી મિલ્ખા સિંહજીના નિધન અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ છે. શ્રી મોદીએ તેમને એક ચમત્કારી ખેલાડી ગણાવ્યા હતા જેમણે રાષ્ટ્રને સંમોહિત કર્યુ હતું અને અસંખ્ય ભારતીયોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.
પ્રધાનમંત્રીએ અનેક ટ્વીટ કરીને કહ્યું હતું, ‘શ્રી મિલ્ખા સિંહજીના નિધનની સાથે આપણે એક એવા ચમત્કારી ખેલાડી ગુમાવી દીધા છે જેણે રાષ્ટ્રને સંમોહિત કર્યુ હતું અને અસંખ્ય ભારતીયોના હૃદયમાં સ્થાન જમાવ્યું હતું. તેમના પ્રેરણાદાયી વ્યક્તિત્વથી તેઓ લાખો લોકોના પ્રિય બની ગયા હતા. તેમના નિધનથી વ્યથિત છું.
મેં થોડા દિવસ અગાઉ જ શ્રી મિલ્ખા સિંહજી સાથે વાત કરી હતી. મને ખ્યાલ નહોતો કે એ અમારી અંતિમ વાતચીત હશે. અનેક નવોદિત એથલીટ તેમની જીવનયાત્રાથી પ્રેરણા પ્રાપ્ત કરશે. તેમના પરિવારજનો અને દુનિયાભરમાં ફેલાયેલા તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.’
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1728472)
आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam