પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો અંગે શોક વ્યક્ત કર્યો


મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાય જાહેર કરી

Posted On: 16 JUN 2021 2:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાયની ઘોષણા પણ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં લખ્યું, ‘ગુજરાતમાં આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે દુઃખી છું.  દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનારા લોકોને સાંત્વના. પ્રત્યેક મૃતકના નજીકના સ્વજનને PMNRFમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશેઃ PM @narendramodi"

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1727500) Visitor Counter : 161