સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનો એક્ટિવ કેસ લોડ 70 દિવસ પછી 9 લાખથી નીચે આવી ગયો છે


ભારતમાં છેલ્લા 24 કલાકમાં 62,224 દૈનિક નવા કેસ નોંધાયા

એક મહિના કરતાં વધુ સમયથી દૈનિક નવા નોંધાતા કેસો કરતાં દરરોજ નવા સાજા થનારાનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે

સાજા થવાનો દર વધીને 95.80% થયો

દૈનિક પોઝિટીવિટી દર 3.22%, સતત 9 દિવસથી પોઝિટીવિટી દર 5% કરતાં ઓછો નોંધાય છે

Posted On: 16 JUN 2021 10:52AM by PIB Ahmedabad

ભારતમાં દૈનિક નવા કોવિડ કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 62,224 કેસ નોંધાયા છે. દેશમાં 9 સાતમા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોનો આંકડો 1 લાખથી નીચે રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે આ પરિણામ પ્રાપ્ત થયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F4JM.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 8,65,432 નોંધાયું છે. સક્રિય કેસોનું ભારણ 70 દિવસ પછી 9 લાખની નીચે જળવાઇ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 47,946 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે ફક્ત 2.92% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WXRW.jpg

 

ભારતમાં કોવિડથી સંક્રમિત થયેલા વધુને વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી સતત 32 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીને નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1, 07,628 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા 45000થી (45,404) વધારે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00339EW.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,83,88,100 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1,07,628 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 95.80% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0040MNI.jpg

દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,30,987 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 38.33 કરોડ જેટલો (38,33,06,971) થઇ ગયો છે.

 

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 4.17% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 3.22% નોંધાયો છે. સતત 9 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00564WJ.jpg

 

ગઈ કાલે ભારતે 26 કરોડ રસીકરણ કવરેજના સીમાચિહ્નને પાર કર્યો. આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 36,17,099 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 28,00,458 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં શામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,00,79,330

બીજો ડોઝ

70,00,612

FLWs

પ્રથમ ડોઝ

1,69,10,170

બીજો ડોઝ

89,10,305

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

4,51,03,965

બીજો ડોઝ

9,00,035

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

7,72,98,842

બીજો ડોઝ

1,22,00,449

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,32,89,614

બીજો ડોઝ

2,02,78,692

કુલ

26,19,72,014

 

****

 

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1727449) Visitor Counter : 174