સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 80,834 નવા કેસ સાથે 71 દિવસ પછી સૌથી ઓછો આંકડો નોંધાયો


ભારતમાં સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 10,26,159 થયું

સળંગ 31 દિવસથી નવા નોંધાતા કેસો કરતાં નવા સાજા થનારાનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે

સાજા થવાનો દર વધીને 95.26% થયો

દૈનિક પોઝિટીવિટી દર 4.25%, સતત 20 દિવસથી પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો નોંધાય છે

Posted On: 13 JUN 2021 11:28AM by PIB Ahmedabad

ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 80,834 કેસ નોંધાયા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોનો આંકડો 1 લાખથી નીચે રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે આ પરિણામ પ્રાપ્ત થયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001M1D9.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 10,26,159 નોંધાયું છે. સક્રિય કેસોનું ભારણ સતત તેર દિવસથી 20 લાખની નીચે જળવાઇ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 54,531 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે ફક્ત 3.49% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MTIK.jpg

 

ભારતમાં કોવિડથી સંક્રમિત થયેલા વધુને વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી સતત 31 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીને નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,32,062 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા 51,228 વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BRA6.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,80,43,446 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1,32,062 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 95.26% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TBDG.jpg

 

દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,00,312 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 37.81 કરોડ કરતાં વધારે (37,81,32,474) થઇ ગયો છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 4.74% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 4.25% નોંધાયો છે. સતત 20 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005EVUQ.jpg

 

સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા રસીકરણ અભિયાન અંતર્ગત ગઇકાલે દેશમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો 25 કરોડના આંકને પણ ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 34,84,239 ડોઝ આપવામાં આવ્યા હતા.

 

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 35,05,535 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 25,31,95,048 ડોઝ આપવામાં આવ્યા છે.

 

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

1,00,48,183

બીજો ડોઝ

69,63,347

FLWs

પ્રથમ ડોઝ

1,67,28,272

બીજો ડોઝ

88,42,292

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

4,02,15,561

બીજો ડોઝ

6,77,853

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

7,54,28,713

બીજો ડોઝ

1,19,42,926

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,24,72,732

બીજો ડોઝ

1,98,75,169

કુલ

25,31,95,048

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1726767) Visitor Counter : 216