સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 22,28,724 થયું; છેલ્લા 24 કલાકમાં 1,14,428 દર્દીનો ઘટાડો થયો
છેલ્લા 45 દિવસમાં દૈનિક ધોરણે સૌથી ઓછા 1.73 લાખ નવા કેસ નોંધાયા
છેલ્લા 2 દિવસમાં દૈનિક ધોરણે નવા સંક્રમિતોની સંખ્યા 2 લાખ કરતાં ઓછી
સતત 16 દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સરખામણીએ સાજા થનારાઓની સંખ્યા વધારે જળવાઇ રહી છે
સાજા થવાનો દર વધીને 90.80% સુધી પહોંચ્યો
દૈનિક પોઝિટીવિટી દર 8.36% નોંધાયો; છેલ્લા 5 દિવસથી 10%થી નીચે જળવાઇ રહ્યો છે
પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો – આજદિન સુધીમાં કુલ પરીક્ષણોનો આંકડો વધીને 34.1 કરોડ થયો
Posted On:
29 MAY 2021 10:20AM by PIB Ahmedabad
ભારતમાં સક્રિય કેસોના ભારણ વધુ ઘટાડો થઇને આજે 22,28,724 નોંધાયું છે. 10 મે 2021ના રોજ સક્રિય કેસોમાં સર્વાધિક સંખ્યા નોંધાયા પછી તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,14,428 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 8.04% રહી છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012N41.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012N41.jpg)
દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડાના ભાગરૂપે, દેશમાં સતત તેર દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યા 3 લાખ કરતાં ઓછી જળવાઇ રહી છે. છેલ્લા 2 દિવસથી સતત દૈનિક ધોરણે નવા કેસોનો આંકડો 2 લાખથી ઓછો નોંધાય છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 1,73,790 કેસ પોઝિટીવ નોંધાયા છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022SIH.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022SIH.jpg)
ભારતમાં સતત 16મા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા પોઝિટીવ દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા કેસની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2,84,601 દર્દી સાજા થઇ ગયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દૈનિક ધોરણે નવા કેસોની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,811 વધારે છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030KT2.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030KT2.jpg)
મહામારીના પ્રારંભથી આજદિન સુધીમાં કુલ સંક્રમિત થયેલા દર્દીઓમાંથી 2,51,78,011 લોકો કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,84,601 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 90.80% થયો છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004S1NJ.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004S1NJ.jpg)
છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,80,048 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 34.11 કરોડ થઇ ગઇ છે.
દેશમાં એક તરફ પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 9.84% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 8.36% નોંધાયો છે. સળંગ 5 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005CYV0.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005CYV0.jpg)
રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 20.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકા પછી દુનિયામાં ભારત બીજો દેશ છે જેણે રસીના 20 કરોડથી વધારે ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 29,72,971 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 20,89,02,445 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં સામેલ છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
98,43,534
|
બીજો ડોઝ
|
67,60,010
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,54,62,813
|
બીજો ડોઝ
|
84,63,622
|
18 થી 44 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
1,67,66,581
|
|
બીજો ડોઝ
|
298
|
45 થી 60 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
6,45,90,833
|
બીજો ડોઝ
|
1,03,52,228
|
60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,81,15,492
|
બીજો ડોઝ
|
1,85,47,034
|
કુલ
|
20,89,02,445
|
SD/GP/JD
(Release ID: 1722623)
Visitor Counter : 194
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam