પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી સુંદરલાલ બહુગુણાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ
પોસ્ટેડ ઓન:
21 MAY 2021 1:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા પર્યાવરણવાદી શ્રી સુંદરલાલ બહુગુણાના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી શ્રીએ એક ટ્વીટમાં કહ્યું, “શ્રી સુંદરલાલ બહુગુણા જીના નિધનથી આપણા દેશને ખૂબ મોટું નુકસાન થયું છે. તેમણે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાથે જીવવાના સદીઓ જૂના આપણા સિદ્ધાંતોને પ્રકટ કર્યા હતા. તેમની સાદગી અને કરૂણાની ભાવના ક્યારેય વીસરી નહીં શકાય. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1720576)
મુલાકાતી સંખ્યા : 236
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam