પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ટાઈમ્સ ગ્રૂપના અધ્યક્ષા શ્રીમતી ઈન્દુ જૈનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

પોસ્ટેડ ઓન: 13 MAY 2021 11:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટાઈમ્સ ગ્રૂપના અધ્યક્ષા શ્રીમતી ઈન્દુ જૈનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યુંઃ

“ટાઈમ્સ ગ્રૂપના અધ્યક્ષા શ્રીમતી ઈન્દુ જૈન જીના નિધનથી દુઃખી છું. તેઓ તેમના સામુદાયિક સેવાના કદમો, ભારતની પ્રગતિ વિશેની તેમની આતુરતા અને આપણી સંસ્કૃતિમાં ઊંડી રૂચિ માટે હંમેશા યાદ રહેશે. હું તેમની સાથે થયેલી વાતચીતને યાદ કરૂં છું. તેમના પરિવારને સાંત્વના. ઓમ શાંતિ.”

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1718461) મુલાકાતી સંખ્યા : 218