પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિઝોરમના સીએમ સાથે સંવાદ કર્યો અને જંગલની આગની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી

Posted On: 26 APR 2021 3:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમના મુખ્યમંત્રી શ્રી ઝોરમથંગા સાથે સંવાદ કર્યો અને રાજ્યના વિવિધ હિસ્સાઓમાં જંગલની આગને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, “મિઝોરમના સીએમ, શ્રી ઝોરમથંગા સાથે વાતચીત કરી અને રાજ્યના વિવિધ હિસ્સામાં જંગલમાં લાગેલી આગને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વિશે જાણ્યુંઆ સંકટને પહોંચી વળવા કેન્દ્ર તરફથી તમામ સંભવિત સમર્થનની ખાતરી આપી છે. અમે સૌ મિઝોરમના લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.

SD/GP/JD



(Release ID: 1714204) Visitor Counter : 227