પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પુથાન્ડુ નિમિતે શુભકામનાઓ પાઠવી

Posted On: 14 APR 2021 9:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અને દુનિયાભરમાં વસતા તમિલ બહેનો અને ભાઈઓને પુથાન્ડુના તહેવાર નિમિતે શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, “તમિલ સંસ્કૃતિની મહાનતા હંમેશા ઉજ્જવળ બની રહે. આ આનંદપ્રદ અને પવિત્ર દિવસ નિમિતે, હું પ્રાર્થના કરૂં છું કે નૂતન વર્ષ દરેકના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, ખુશાલી અને સમૃદ્ધિથી પરિપૂર્ણતા લાવે.”

SD/GP/JD



(Release ID: 1711733) Visitor Counter : 177