સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 સામેની જંગમાં ભારતની આગેકૂચ સાથે નોંધપાત્ર સિદ્ધિ - 6 મહિના અને 24 દિવસ પછી સક્રિય કેસનું ભારણ ઘટીને 2 લાખથી ઓછું થયું


છેલ્લા 7 દિવસથી પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક ધોરણે પુષ્ટિ થતા નવા સંક્રમિતોની સૌથી સંખ્યા ધરાવતા દેશોમાં ભારત

કુલ 6,74,835 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું

છેલ્લા 24 કલાકમાં 2,20,786 લોકોને 3,860 સત્રોમાં રસી આપવામાં આવી

Posted On: 20 JAN 2021 12:34PM by PIB Ahmedabad

ભારતે આજે કોવિડ-19 સામેની જંગમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશમાં કુલ સક્રિય કેસનું ભારણ 2 લાખના મહત્વપૂર્ણ આંકડાથી ઘટીને આજે 1,97,201 નોંધાયું છે. આ આંકડો કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી માત્ર 1.86% છે. સક્રિય કેસનું આ ભારણ 207 દિવસ પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે. અગાઉ, 27 જૂન, 2020ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 1,97,387 હતી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 16,988 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી કુલ સક્રિય કેસના ભારણમાં 3327 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

કુલ સક્રિય કેસમાંથી 72% દર્દીઓ માત્ર 5 રાજ્યોમાંથી છે.

34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની કુલ સંખ્યા 10,000થી ઓછી છે.

ભારતમાં દૈનિક ધોરણે પુષ્ટિ થતા નવા સંક્રમિતોની સંખ્યામાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેના કારણે પણ સક્રિય કેસના ભારણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

વૈશ્વિક સ્તરે, ભારત છેલ્લા 7 દિવસમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડ-19ના સૌથી ઓછા નવા કેસ નોંધાયેલા દેશોમાંથી છે.

20 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 7 વાગ્યા સુદીમાં, દેશમાં કુલ 6,74,835 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 3,860 સત્રોમાં 2,20,786 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં કુલ 11,720 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

644

2

આંધ્રપ્રદેશ

65,597

3

અરુણાચલ પ્રદેશ

2,805

4

આસામ

7,585

5

બિહાર

47,395

6

ચંદીગઢ

469

7

છત્તીસગઢ

10,872

8

દાદરા અને નગર હવેલી

125

9

દમણ અને દીવ

94

10

દિલ્હી

12,902

11

ગોવા

426

12

ગુજરાત

21,832

13

હરિયાણા

28,771

14

હિમાચલ પ્રદેશ

5,049

15

જમ્મુ અને કાશ્મીર

4,414

16

ઝારખંડ

8,808

17

કર્ણાટક

82,975

18

કેરળ

24,007

19

લદાખ

119

20

લક્ષદ્વીપ

369

21

મધ્યપ્રદેશ

18,174

22

મહારાષ્ટ્ર

33,484

23

મણીપુર

1111

24

મેઘાલય

1037

25

મિઝોરમ

1091

26

નાગાલેન્ડ

2,360

27

ઓડિશા

60,797

28

પુડુચેરી

759

29

પંજાબ

5,567

30

રાજસ્થાન

32,379

31

સિક્કિમ

358

32

તમિલનાડુ

25,908

33

તેલંગાણા

69,405

34

ત્રિપુરા

3,734

35

ઉત્તરપ્રદેશ

22,644

36

ઉત્તરાખંડ

6,119

37

પશ્ચિમ બંગાળ

43,559

38

અન્ય

21,091

 

કુલ

6,74,835

 

દેશમાં કુલ સાજા થયેલા કેસની સંખ્યા વધીને 1.02 કરોડ (10,245,741) થઇ ગઇ છે.

છેલ્લા કેટલાક દિવસથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા કુલ સક્રિય કેસની સરખામણીએ એક કરોડથી વધારે નોંધાઇ રહી છે. આજે આ તફાવત 10,048,540 નોંધાયો હતો. નવા સાજા થતા દર્દીઓની સંખ્યા નવા સંક્રમિતોની સંખ્યા કરતાં સતત વધારે રહેતી હોવાથી આ તફાવત પણ વધી રહ્યો છે. આજે સાજા થવાનો દર પણ વધીને 96.70% નોંધાયો છે. નવા પુષ્ટિ થતા કેસની દૈનિક સંખ્યા કરતા સાજા થનારાની સંખ્યા વધુ રહેતી હોવાથી આ દર સતત સુધરી રહ્યો છે.

નવા સાજા થયેલામાંથી 80.43% કેસ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 4,516 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત, એક દિવસમાં સૌથી વધુ રિકવરી કેરળમાં નોંધાઇ છે જ્યાં વધુ 4,296 દર્દી સાજા થયા છે જ્યારે કર્ણાટકમાં એક દિવસમાં 807 દર્દી સાજા થયા છે.

નવા નોંધાયેલા સંક્રમિતોમાંથી 79.2% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 6,186 નવા દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં નવા 2,294 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.

દૈનિક મૃત્યુઆંકમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જે આજે 162 હતો.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 71.6% મૃત્યુ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (50) નોંધાયા છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે વધુ 26 અને 11 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

 

SD/GP/BT

 



(Release ID: 1690316) Visitor Counter : 206