ગૃહ મંત્રાલય

કુવૈતના અમીર મહામહિમ શેખ સબા અલ-અહમદ અલ-જબર અલ-સબાનું અવસાન થવાથી તેમના માનમાં આવતીકાલે એક દિવસીય રાજકીય શોક મનાવવામાં આવશે

Posted On: 03 OCT 2020 12:43PM by PIB Ahmedabad

કુવૈતના અમીર મહામહિમ શેખ સબા અલ-અહમદ અલ-જબર અલ-સબાનું 29 સપ્ટેમ્બર, 2020ના રોજ અવસાન થયું હતું. ભારત સરકારે સ્વર્ગસ્થ મહાનુભાવના માનમાં સમગ્ર દેશમાં આવતીકાલે એક દિવસનો રાજકીય શોક મનાવવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રીય ધ્વજ ભારતની તમામ ઇમારતો પર જ્યાં તે નિયમિતપણે લહેરાવવામાં આવે છે એ બધે જ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે અને આવતીકાલે  કોઈ જ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.

 

SD/GP/BT



(Release ID: 1661273) Visitor Counter : 158