સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દરરોજ 8 લાખથી વધુ સરેરાશ પરીક્ષણો કરવાની સાથે જ, ભારતમાં કોવિડ-19 પરીક્ષણોમાં વધારો થયો


પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને 27,000 થયા

Posted On: 26 AUG 2020 2:26PM by PIB Ahmedabad

સમયસર અને સઘન પરીક્ષણ દ્વારા કોવિડ-19 ચેપની વહેલી ઓળખ રોગચાળા સામે લડવાની ભારતની વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવ્યો છે. "ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ"ની કેન્દ્રની આગેવાની હેઠળની નીતિને પગલે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સહયોગી પ્રયત્નોને લીધે ભારત સતત 10 લાખ પરીક્ષણો / દિવસની ક્ષમતાને સ્પર્શવા માટે તેના પરીક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરે છે.

7-દિવસીય સરેરાશ રોલિંગ પરીક્ષણો / દિવસની સંખ્યાએ આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના નિર્ધારિત, કેન્દ્રિત, સુસંગત અને સંકલિત પ્રયત્નો સૂચવે છે. આજની તારીખે સંચિત પરીક્ષણ 3,76,51,512 ને પાર પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 8,23,992 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. સતત ધોરણે આવા ઉચ્ચ સ્તરના પરીક્ષણ પ્રારંભિક નિદાન તરફ દોરી જાય છે. વહેલું નિદાન એ પોઝિટીવ કેસને અગાઉથી પૂરતા પ્રમાણમાં આઇસોલેટ અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની તક પૂરી પાડે છે. આનાથી નીચા મૃત્યુ દરને સરળ બનાવે છે.  

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબોરેટરી નેટવર્ક અને દેશભરમાં સરળ પરીક્ષણ માટેની સુવિધાએ નોંધપાત્ર વેગ આપ્યો છે. આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ) માં 27,284નો તીવ્ર વધારો થયો છે. જેને સતત ઉપર રહેવા તરફનું વલણ જાળવી રાખ્યું છે.

પરીક્ષણ લેબોરેટરીનું વધતું નેટવર્ક સમગ્ર દેશમાં પરીક્ષણ સુવિધાઓને મજબૂત બનાવવા માટે વિસ્તૃત તક પ્રદાન કરે છે. સરકારી ક્ષેત્રના 992 લેબોરેટરી અને 548 ખાનગી લેબોરેટરી સહિત આજે કુલ 1540 લેબોરેટરી છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 790 (સરકારી: 460 + ખાનગી: 330)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 632 (સરકારી: 498 + ખાનગી: 134)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 118 (સરકારી: 34 + ખાનગી: 84)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

SD/GP/BT



(Release ID: 1648703) Visitor Counter : 191