PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
17 AUG 2020 6:26PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયાની નોંધણી થઇ
- સાજા થવાનો દર 72%થી વધુ
- ટૂંકમાં સમયમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખને પાર થશે
- ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું
- પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે આજે 21,769 થયા
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયાની નોંધણી થઇ, સાજા થવાનો દર 72%થી વધુ, ટૂંકમાં સમયમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખને પાર થશે
આજે દેશમાં એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયાનું નોંધાયું, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 57,584 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સિદ્ધિએ ભારતને સાજા થવના દરને 72%થી વધુના સીમાચિન્હને પાર કરવા પ્રોત્સાહિત કરી છે. વધુ દર્દીઓ સાજા થતા અને તેમણે હોસ્પિટલ અને હોમ અઈસોલેશન (હળવા અને મધ્યમ કેસના કિસ્સામાં) માંથી રજા મળતા, ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખ (19,19,842) ને નજીક પહોંચી ગઈ છે. આથી એ સુનિશ્ચિત થયું છે કે સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વાછેનું અંતર વધુ લાંબુ થઈ રહ્યું છે. જે આજે 12,42,942 થઈ ગયું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646394
ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે આજે 21,769 થયા
કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારના કેન્દ્રિત, સતત અને સંયુક્ત પ્રયાસોના પરિણામે, ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું. ભારતમાં રોજના 10 લાખ પરીક્ષણ કરવાની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી, છેલ્લા 24 કલાકમાં 7,31,697 પરીક્ષણો કરવામાં આવ્યા. આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) માં 21,769 સુધીનો વધારો થયો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646408
ડૉ. હર્ષ વર્ધને સીઆઈઆઈ પબ્લિક હેલ્થ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને ડિજિટલી સંબોધિત કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646435
ઉપરાષ્ટ્રપતિએ આઇઆઇટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સામાજિક સમસ્યાઓ પર સંશોધન કરવા આગ્રહ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646383
આદિજાતિ આરોગ્ય અને પોષણ પોર્ટલ - ‘સ્વાસ્થ્ય’, રાષ્ટ્રીય વિદેશી પોર્ટલ અને રાષ્ટ્રીય આદિજાતિ ફેલોશિપ પોર્ટલનો પ્રારંભ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646440
મુખ્તાર અબ્બાસ નકવી: "રોગચાળોનું જોખમ એ ભારતીયો માટે" સંભાળ, પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસ "નો સકારાત્મક સમય સાબિત થયો છે, જેણે સમગ્ર વિશ્વની સમગ્ર માનવતા માટે એક દાખલો બેસાડ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646380
(Release ID: 1646513)
Visitor Counter : 186
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam