સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

સાજા થવાનો દર ઝડપથી વધી રહ્યો હોવાથી 60%ની નજીક પહોંચી ગયો

સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત હવે 1,32,912 થઇ ગયો

Posted On: 02 JUL 2020 3:29PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલા તબક્કાવાર, પૂર્વ-અસરકારક અને પૂર્વ-સક્રિય પગલાંના પ્રોત્સાહક પરિણામો જોવા મળી રહ્યા છે અને સાજા થયેલા તેમજ સક્રિય કેસોનો તફાવત એકધારો વધી રહ્યો છે. આજે દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,32,912 વધારે નોંધાઇ છે.

કોવિડ-19ના કેસોના સમયસર તબીબી વ્યવસ્થાપનના કારણે હવે દરરોજ 10,000થી વધુ દર્દીઓ બીમારીમાંથી સાજા થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 11,881 દર્દીઓ સાજા થઇ ગયા છે જેના કારણે દેશમાં અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ લોકોનો આંકડો વધીને 3,59,859 સુધી પહોંચી ગયો છે. અત્યારે દર્દીઓ સાજા થવાનો દર વધીને 59.52% થઇ ગયો છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,26,947 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોવિડ-19માંથી સાજા થયેલા કુલ કેસોની સંખ્યાના સંદર્ભમાં ટોચના 15 રાજ્યોની વિગતો નીચે પ્રમાણે છે:

 

અનુક્રમ નંબર

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ

કુલ સાજા થયેલાની સંખ્યા

1

મહારાષ્ટ્ર

93,154

2

દિલ્હી

59,992

3

તામિલનાડુ

52,926

4

ગુજરાત

24,030

5

ઉત્તરપ્રદેશ

16,629

6

રાજસ્થાન

14,574

7

પશ્ચિમ બંગાળ

12,528

8

મધ્યપ્રદેશ

10,655

9

હરિયાણા

10,499

10

તેલંગાણા

8,082

11

કર્ણાટક

8,063

12

બિહાર

7,946

13

આંધ્રપ્રદેશ

6,988

14

આસામ

5,851

15

ઓડિશા

5,353

 

સૌથી વધુ સાજા થવાનો દર ધરાવતા ટોચના 15 રાજ્યો:

અનુક્રમ નંબર

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ

સાજા થવાનો દર

1

ચંદીગઢ

82.3%

2

મેઘાલય

80.8%

3

રાજસ્થાન

79.6%

4

ઉત્તરાખંડ

78.6%

5

છત્તીસગઢ

78.3%

6

ત્રિપુરા

78.3%

7

બિહાર

77.5%

8

મિઝોરમ

76.9%

9

મધ્યપ્રદેશ

76.9%

10

ઝારખંડ

76.6%

11

ઓડિશા

73.2%

12

ગુજરાત

72.3%

13

હરિયાણા

70.3%

14

લદ્દાખ

70.1%

15

ઉત્તરપ્રદેશ

69.1%

 

ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ” (પરીક્ષણ કરો, ટ્રેસ કરો, સારવાર કરો) રણનીતિ અનુસાર, દરરોજ પરીક્ષણ કરવામાં આવતા સેમ્પલની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 90 લાખથી વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,29,588 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 90,56,173 સુધી પહોંચી ગયો છે.

ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીના નેટવર્કને વધુ મજબૂત કરવામાં આવ્યું છે. 768 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે અને 297 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની હોવાથી હાલમાં દેશમાં કોવિડના પરીક્ષણ માટે કુલ 1065 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 578 (સરકારી: 366 + ખાનગી: 212)

• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 398 (સરકારી: 370 + ખાનગી: 28)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 89 (સરકારી: 32 + ખાનગી: 57)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને

વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો

ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન

નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1635911) Visitor Counter : 211