સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


કોવિડ-19ના પરીક્ષણોની સંખ્યા દૈનિક 2 લાખથી વધારે થઇ ગઇ

કોવિડ-19ની લેબોરેટરીની સંખ્યા 1000 સુધી પહોંચી

Posted On: 24 JUN 2020 3:05PM by PIB Ahmedabad

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પરીક્ષણનો આંકડો 2 લાખ પ્રતિ દિવસ કરતાં વધી ગયો છે જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ પરીક્ષણની સંખ્યા છે.

ગઇકાલે 2,15,195 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 73,52,911 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગઇકાલે 1,71,587નું પરીક્ષણ સરકારી લેબોરેટરીઓમાં જ્યારે 43,608 સેમ્પલનું પરીક્ષણ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું. ખાનગી લેબોરેટરીઓમાં પણ એક દિવસમાં ગઇકાલે સૌથી વધુ પરીક્ષણ નોંધાયા હતા.

ભારતમાં કોવિડ-19ના પરીક્ષણોની લેબોરેટરીઓના સતત વધી રહેલા નેટવર્કના પૂરાવા તરીકે, અત્યારે દેશમાં પરીક્ષણની લેબોરેટરીઓની સંખ્યા 1000 સુધી પહોંચી ગઇ છે. આમાં 730 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 270 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.

તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 557 (સરકારી: 359 + ખાનગી: 198)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 363 (સરકારી: 343 + ખાનગી: 20)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 80 (સરકારી: 28 + ખાનગી: 52)

દેશમાં કોવિડ-19માંથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં પણ એકધારો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી 10,495 દર્દીઓ સાજા થઇ ગયા છે. સાથે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,58,684 દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો 56.71% નોંધાયો છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,83,022 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1633946) Visitor Counter : 244