સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


સાજા થયેલા લોકોની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા કરતા 50,000થી પણ વધુનો આંકડો વટાવી ગઇ

દર્દીઓનો સાજા થવાનો દર વધીને 55.49% નોંધાયો

Posted On: 21 JUN 2020 11:32AM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19માંથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 2,27,755 દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 13,925 લોકો સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર સતત વધીને 55.49% સુધી પહોંચી ગયો છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,69,451 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

આજે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય દર્દીઓની સંખ્યા કરતા 58,305 વધુ હોવાનું નોંધાયું છે.

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણની ક્ષમતા વધારવા માટેના સઘન પ્રયાસો રૂપે માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 722 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 259 (કુલ 981 લેબોરેટરી) કરવામાં આવી છે.

તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 547 (સરકારી: 354 + ખાનગી: 193)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 358 (સરકારી: 341 + ખાનગી: 17)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 76 (સરકારી: 27 + ખાનગી: 49)

છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,90,730 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 68,07,226 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

GP/DS



(Release ID: 1633165) Visitor Counter : 203