સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દર્દીઓ સાજા થવાનો દર સુધીને 52.8% થયો

Posted On: 17 JUN 2020 2:06PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19થી પીડાતા 6922 દર્દીઓ બીમારીમાંથી સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,86,934 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 52.80% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,55,227 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 674 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 250  કરવામાં આવી છે (કુલ 924 લેબોરેટરી). તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 535 (સરકારી: 347 + ખાનગી: 188)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 316 (સરકારી: 302 + ખાનગી: 14)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 73 (સરકારી: 25 + ખાનગી: 48)

છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,63,187 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 60,84,256 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

 

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

 

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

 

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1632077) Visitor Counter : 207