PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
12 MAY 2020 6:21PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 12.5.2020
Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ડૉ. હર્ષવર્ધન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ- કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જોડાઇને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે નિવારણ અને નિયંત્રણ સંબંધિત પગલાંઓની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના લેફ્ટેનન્ટ ગવર્નર અને ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં પરત ફરત ફરી રહ્યા હોવાથી તેને ધ્યાનમાં રાખતા આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ પાછા ફરી રહેલા લોકો માટે વધુ અસરકારક દેખરેખ, સંપર્ક ટ્રેસિંગ, પૂરતા પ્રમાણમાં પરીક્ષણ સુવિધા અને સમયસર સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વિદેશથી આવી રહેલા લોકો માટે પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.
12 મે 2020 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ 70,756 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 22,455 દર્દી અત્યાર સુધીમાં સાજા થયા છે અને 2293 દર્દી મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,604 દર્દના કોવિડ-19ના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હોવાની પુષ્ટી થઇ છે અને 1538 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. કેસોની સંખ્યા બમણી થવાનો દર છેલ્લા 14 દિવસમાં 10.9 હતો, જે છેલ્લા ત્રણ દિવસમાં સુધરીને 12.2 થયો હોવાનું પણ તેમણે ટાંક્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મૃત્યુદર 3.2% છે જ્યારે સાજા થવાનો દર 31.74% છે. તેમણે રાજ્યોને ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19 સામેની ભારતની લડાઇમાં આગામી માર્ગ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણી સમક્ષ અત્યારે બેવડો પડકાર છે – આ બીમારીના સંક્રમણનો દર ઓછો કરવાનો અને તમામ પ્રકારની માર્ગદર્શિકાઓનું પાલન કરીને જાહેર પ્રવૃત્તિઓ તબક્કાવાર વધારવાનો અને આપણે સૌએ આ બંને હેતુઓ સિદ્ધ કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19નો ફેલાવો રોકવા માટે પ્રયાસો કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કોવિડ પછીના યુગમાં નવી તકો આપણી સમક્ષ આવશે માટે ભારતે અચૂક તેનો લાભ ઉઠાવવો જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે અચૂક પણે સમજી લેવું જોઇએ કે કોવિડ-19 પછી મૂળભૂત રીતે દુનિયા બદલાઇ ગઇ છે. હવે પછીની દુનિયા વિશ્વ યુદ્ધો પછીના સમયની જેમ પ્રિ-કોરોના, પોસ્ટ-કોરોના જેવી હશે. તેના કારણે આપણે કેવી રીતે કામ કરીએ તેમાં નોંધપાત્ર પરિવર્તનો આવશે. તેમણે કહ્યું હતું કે, જીવનની નવી રીતભાત “જન સે લેકર જગ તક” એટલે કે એક વ્યક્તિથી માંડીને સમગ્ર માનવજાત સુધી સિદ્ધાંત પર હશે. તેમણે કહ્યું, આપણે આ નવી વાસ્તવિકતા માટે અવશ્યપણે આયોજન કરવું જોઇએ.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623188
ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 12 મે 2020 (09:30 કલાક