ગૃહ મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધોના કારણે દેશભરમાં ફસાયેલા લોકોના આવનજાવન માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે

Posted On: 01 MAY 2020 4:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા એક આદેશ બહાર પાડીને દેશભરના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ઝડપથી આવનજાવન માટે રેલવે મંત્રાલય (MoR) દ્વારા વિશેષ ટ્રેન દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે.

રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનોની ગતિવિધિ સંબંધે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન કરવા માટે નોડલ અધિકારી (અધિકારીઓ)ની નિયુક્તિ કરવામાં આવશે. ટિકિટના વેચાણ; રેલવે સ્ટેશનો, ટ્રેનના પ્લેટફોર્મ અને ટ્રેનની અંદર સામાજિક અંતર અને અન્ય સલામતીના માપદંડોના અનુપાલન અંગે પણ વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

 

 

GP/DS

 



(Release ID: 1620055) Visitor Counter : 285