માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીની સલાહ મુજબ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને કોવિડ-19ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર માર્ગદર્શિકા જાહેર કરી

Posted On: 06 APR 2020 3:21PM by PIB Ahmedabad

કોવિડ-19ના જોખમ વચ્ચે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ મંત્રાલય અંતર્ગત કાર્યરત સ્વાયત્ત સંસ્થાઓનાં વડાઓને કોવિડ-19 રોગચાળાને પગલે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે.

એ મુજબ, કોવિડ-19 દરમિયાન અને પછી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સાઇકો-સોશિયલ એમ કોઈ પણ પ્રકારની ચિંતાઓનું સમાધાન કરવા યુજીસીએ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને વિદ્યાર્થઈઓના માનસિક સ્વાસ્થ્ય, સાઇકોસોશિયલ પાસાં અને સુખાકારી માટે નીચેના પગલાં લેવા વિનંતી કરી છેઃ

  1. યુનિવર્સિટીઓ/કોલેજોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સાઇકોસોશિયલ ચિંતાઓ અને સુખાકારી માટે હેલ્પલાઇનો સ્થાપિત કરવી. કાઉન્સેલર્સ અને અન્ય ઓળખ કરાયેલા ફેકલ્ટી સભ્યો દ્વારા એના પર સતત નજર રહેશે અને એનું સંચાલન થશે.
  2. શાંત અને તણાવમુક્ત રહેવા યુનિવર્સિટીઓ/કોલેજો દ્વારા આદાનપ્રદાન અને અપીલો/પત્રો દ્વારા વિદ્યાર્થીઓ પર નિયમિતપણે નજર રાખવી. આ ટેલીફોન, ઇ-મેલ, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા હાંસલ કરી શકાશે.
  3. વિદ્યાર્થીઓનું કોવિડ-19 હેલ્પ ગ્રૂપ બનાવવું, જેની આગેવાની હોસ્ટેલના વોર્ડન/સીનિયર ફેકલ્ટી કરશે, જેમની ઓળખ જરૂરિયાતના સમયમાં મિત્રો/સાથી વિદ્યાર્થીઓ કરી શકે તથા તાત્કાલિક જરૂરી મદદ પ્રદાન કરી શકે.
  4. તમારી યુનિવર્સિટી/કોલેજની વેબસાઇટ પર તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને ઇ-મેલ, ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય https://www.mohfw.gov.in/ ની નીચેની વીડિયો લિન્ક શેર કરો:
    • ઘરમાં રહેવા દરમિયાન તમારા માનસિક સ્વાસ્થ્યની સારસંભાળ રાખવા વ્યવહારિક સૂચનો https://www.youtube.com/watch?v=uHB3WJsLJ8s&feature=youtu.be
    • કોવિડ-19 દરમિયાન આપણા મનની વાત કહેવી

ઉપરોક્ત પગલાઓનાં અમલ પર નિયમિતપણે નજર રાખવામાં આવશે અને આ સંબંધમાં હાથ ધરવામાં આવેલી કામગીરીને યુજીસીની યુનિવર્સિટી એક્ટિવિટી મોનિટરિંગ પોર્ટલ ugc.ac.in/uamp પર સબમિટ કરી શકાશે.

RP



(Release ID: 1611747) Visitor Counter : 233