કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 7 ઓગસ્ટ, રાષ્ટ્રીય હાથશાળ (હેન્ડલૂમ) દિવસ પર ભારતના હાથશાળ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને બિરદાવતા હેન્ડલૂમ એવોર્ડ્સ 2025 પ્રદાન કરશે

प्रविष्टि तिथि: 04 AUG 2026 6:53PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ 7 ઓગસ્ટ 2026 ના રોજ રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી દરમિયાન પ્રતિષ્ઠિત હેન્ડલૂમ એવોર્ડ્સ પ્રદાન કરશે.

આ સમારોહમાં કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરીરાજ સિંહ, વરિષ્ઠ મહાનુભાવો, હાથશાળ ઉદ્યોગના પ્રતિનિધિઓ, માસ્ટર વણકરો, ડિઝાઈનરો, નિકાસકારો, કારીગરો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

ભારતની સમૃદ્ધ હાથશાળ પરંપરાઓને જાળવવા, પ્રોત્સાહિત કરવા અને આગળ ધપાવવામાં તેમના અસાધારણ યોગદાન બદલ કુલ 22 એવોર્ડ વિજેતાઓ, જેમાં 3 સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ વિજેતાઓ અને 19 રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ વિજેતાઓનો સમાવેશ થાય છે, તેમને સન્માનિત કરવામાં આવશે.

(2025ના સંત કબીર અને રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ વિજેતાઓની યાદી)

હાથશાળમાં શ્રેષ્ઠતાની ઉજવણી

કાપડ મંત્રાલયે સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ્સ અને રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ્સ 2025 ના પ્રાપ્તકર્તાઓની જાહેરાત કરી છે, જે હાથશાળ ક્ષેત્ર સાથે જોડાયેલા વણાટ, નવીનતા, ડિઝાઇન વિકાસ, માર્કેટિંગ પહેલો, સ્ટાર્ટ-અપ સાહસો અને ઉત્પાદક કંપનીઓમાં ઉત્કૃષ્ટ શ્રેષ્ઠતાને સ્વીકારે છે.

આ એવોર્ડ્સ રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ (NHDP) ના હેન્ડલૂમ માર્કેટિંગ સહાયતા (HMA) ઘટક હેઠળ સ્થાપિત કરવામાં આવ્યા છે અને હાથશાળ ઇકોસિસ્ટમમાં શ્રેષ્ઠતા માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે.

જેમની કામગીરીએ ભારતના હાથશાળ વારસાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યો છે અને દેશી તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની સ્પર્ધાત્મકતા વધારી છે તેવા વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવા માટે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી દરમિયાન આ એવોર્ડ્સ પ્રદાન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સંસદસભ્યો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગના નિષ્ણાતો, શૈક્ષણિક સંસ્થાઓ, નિકાસકારો, ડિઝાઈનરો અને દેશભરના હાથશાળ વણકરો ભાગ લે તેવી શક્યતા છે.

હેન્ડલૂમ એવોર્ડ્સ

હેન્ડલૂમ એવોર્ડ્સનો ઉદ્દેશ્ય હાથશાળ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા, નવીનતા અને સતત જાળવણીને પ્રોત્સાહિત કરવાનો છે. તેઓ ઉત્કૃષ્ટ કારીગરી, પરંપરાગત કૌશલ્યોને જાળવી રાખીને આધુનિક તકનીકો અપનાવવી, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ, ડિઝાઇન નવીનતા અને વણકર સમુદાયોના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાનને માન્યતા આપે છે.

સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ

આ એવોર્ડ હાથશાળ વણકરો માટે દેશની સર્વોચ્ચ માન્યતા છે જેમણે અસાધારણ કારીગરી અને ભારતની વણાટ પરંપરાઓની જાળવણી અને પ્રોત્સાહન માટે આજીવન સમર્પણ દર્શાવ્યું છે.

પ્રાપ્તકર્તાઓની પસંદગી અસાધારણ તકનીકી કૌશલ્ય, નવીનતા, ક્ષેત્રમાં સતત યોગદાન, પરંપરાગત વણાટ પદ્ધતિઓને પ્રોત્સાહન, કારીગરોને માર્ગદર્શન અને સમુદાય વિકાસ માટેના પ્રયાસોના આધારે કરવામાં આવે છે.

એવોર્ડમાં નીચેનાનો સમાવેશ થાય છે:-

  • ગોલ્ડ કોઈન (માઉન્ટેડ)
  • તામ્રપત્ર
  • શાલ
  • પ્રમાણપત્ર

રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ

રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ હાથશાળ વણકરો અને અન્ય હિતધારકોને સન્માનિત કરે છે જેમણે પોતપોતાના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સર્જનાત્મકતા, ગુણવત્તા, નવીનતા અને શ્રેષ્ઠતા દર્શાવી છે.

આ એવોર્ડ ભારતની વૈવિધ્યસભર હાથશાળ પરંપરાઓને જાળવી રાખીને કારીગરો અને સંસ્થાઓને કારીગરી, ઉત્પાદન વિકાસ અને બજાર પહોંચમાં સતત ધોરણો સુધારવા માટે પ્રેરણા આપવાનો પ્રયાસ કરે છે.

એવોર્ડમાં નીચેનાનો સમાવેશ થાય છે :-

  • તામ્રપત્ર
  • શાલ
  • પ્રમાણપત્ર

પસંદગી પ્રક્રિયા

વણાટ શ્રેણીમાં એવોર્ડ વિજેતાઓની પસંદગી ઝોનલ, હેડક્વાર્ટર અને સેન્ટ્રલ લેવલની સિલેક્શન કમિટીઓ સામેલ હોય તેવી સખત બહુ-સ્તરીય મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ સમિતિઓમાં અનુભવી વ્યાવસાયિકો, તકનીકી નિષ્ણાતો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ નિર્ધારિત પાત્રતાના માપદંડો અને મૂલ્યાંકન પરિમાણો સામે નામોની સમીક્ષા કરે છે.

ડિઝાઇન વિકાસ, માર્કેટિંગ, સ્ટાર્ટ-અપ સાહસો અને ઉત્પાદક કંપનીઓને લગતી શ્રેણીઓ માટે, આખરી મંજૂરી આપતા પહેલા હેડક્વાર્ટર કમિટી અને સેન્ટ્રલ લેવલ કમિટી દ્વારા નામોનું સંરચિત મૂલ્યાંકન કરવામાં આવે છે.

પસંદગી પદ્ધતિ પારદર્શિતા, નિષ્પક્ષતા અને હાથશાળ ક્ષેત્રના તમામ વિભાગોમાં વાસ્તવિક શ્રેષ્ઠતાની માન્યતા સુનિશ્ચિત કરે છે.

(2025ના સંત કબીર અને રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ વિજેતાઓની યાદી)

SM/NP/JD


(रिलीज़ आईडी: 2294527) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Telugu , Kannada , Malayalam