પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને ઈરાન અને પ્રદેશની પરિસ્થિતિ પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો
પ્રધાનમંત્રીએ સંવાદ અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના ઉકેલ પર ભારતના સતત વલણનો પુનરોચ્ચાર કર્યો
પ્રધાનમંત્રીએ ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી અને ઉર્જા અને માલસામાનના અવરોધ વિનાના પરિવહન અંગે ભારતની પ્રાથમિકતા પર પ્રકાશ પાડ્યો
પોસ્ટેડ ઓન:
12 MAR 2026 11:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ ઈરાનની વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી અને પ્રદેશમાં તાજેતરના વિકાસ પર પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો.
પ્રધાનમંત્રીએ પ્રદેશમાં વિકસતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી અને ભારતના સતત વલણનો પુનરોચ્ચાર કર્યો કે તમામ મુદ્દાઓનો ઉકેલ સંવાદ અને રાજદ્વારી દ્વારા લાવવો જોઈએ.
પ્રધાનમંત્રીએ ઈરાન સહિત આ પ્રદેશમાં ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી અંગે ભારતની પ્રાથમિકતા તેમજ ઊર્જા અને માલસામાનના અવરોધ વિનાના પરિવહનના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2239373)
મુલાકાતી સંખ્યા : 34