પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2026ના બીજા એપિસોડમાં કોઈમ્બતુર, છત્તીસગઢ, ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીતની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
10 FEB 2026 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા (PPC) 2026ની 9 મી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીતની ઝલક શેર કરી હતી. પ્રધાનમંત્રીએ PPC 2026ના બીજા એપિસોડ દરમિયાન કોઈમ્બતુર, છત્તીસગઢ, ગુજરાત અને આસામના એક્ઝામ વોરિયર્સ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. 'પરીક્ષા પે ચર્ચા' ની વિશેષ આવૃત્તિમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ વખતે આ કાર્યક્રમ દેશના વિવિધ ભાગોમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
"તમિલનાડુના કોઈમ્બતુરમાં #ParikshaPeCharcha26 દરમિયાન વિદ્યાર્થીઓ સાથેની વાતચીત એક અદભૂત અનુભવ હતો. સ્ટાર્ટઅપ્સ અને AI થી લઈને સ્વ-શિસ્ત અને વિકસિત ભારતના નિર્માણના સપના સુધી, આજના યુવા મનનો જિજ્ઞાસાભાવ અને સ્પષ્ટતા ઉત્કૃષ્ટ છે."
"#ParikshaPeCharcha26 દરમિયાન, છત્તીસગઢના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં એક એવી પેઢીનો પરિચય થયો જે જિજ્ઞાસુ, વિચારશીલ અને જાગૃત છે. અભ્યાસ અને રમતગમતને સંતુલિત કરવાથી લઈને પર્યાવરણની સંભાળ રાખવા અને નેતૃત્વના ગુણો વિકસાવવા સુધી, તેમના પ્રશ્નો વિચારની સ્પષ્ટતા દર્શાવે છે."
"ગુજરાતમાં #ParikshaPeCharcha26 એ માત્ર પરીક્ષા તૈયારી સુધી સીમિત નથી રહી. વિદ્યાર્થીઓના પ્રશ્નોમાં આત્મવિશ્વાસ સાથે શીખવાની અને આગળ વધવાની ઊંડી ઇચ્છા દેખાઈ. તેમણે મહત્વપૂર્ણ પરિસ્થિતિઓમાં દબાણનું સંચાલન કરવા વિશે, શિક્ષકોની મહત્વની ભૂમિકા અને વધુ બાબતો વિશે મુક્તપણે વાત કરી. તેઓએ અદભૂત વારલી, પિથોરા અને લિપ્પણ કલાનું પ્રદર્શન પણ કર્યું."
"તણાવ અને સરખામણીના સંચાલનથી લઈને આત્મવિશ્વાસ વધારવા અને સ્વસ્થ દિનચર્યા બનાવવા સુધી, આસામના વિદ્યાર્થીઓ સાથેની #ParikshaPeCharcha26 માં આ તમામ બાબતો આવરી લેવામાં આવી હતી. પરીક્ષામાં સારું પ્રદર્શન કરવાની, આગળ વધવાની અને સાથે સાથે પોતાના મૂળ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાની તેમની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે."
SM/BS/GP/JD
(રીલીઝ આઈડી: 2225923)
મુલાકાતી સંખ્યા : 15