પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આ વર્ષની #ParikshaPeCharcha માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પાસેથી વિચારો આમંત્રિત કર્યા
प्रविष्टि तिथि:
07 JAN 2026 7:05PM by PIB Ahmedabad
જેમ જેમ ધોરણ X અને XII ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, તેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર આતુરતાપૂર્વક રાહ જોવાતા વાર્ષિક કાર્યક્રમ, પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના #ExamWarriors (પરીક્ષાના યોદ્ધાઓ) ને તેમના પ્રશ્નો, વિચારો અને અનુભવો શેર કરવા માટે આમંત્રિત કર્યા છે જે અન્યોને પ્રેરણા આપી શકે.
X (ટ્વિટર) પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:
“ધોરણ X અને XIIની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે અને તેવી જ રીતે આ વર્ષની #ParikshaPeCharcha પણ!
પરીક્ષાના વિવિધ પાસાઓ પર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ખાસ કરીને પરીક્ષાના તણાવને દૂર કરવાના રસ્તાઓ, શાંત રહેવું, આત્મવિશ્વાસ જાળવી રાખવો અને સ્મિત સાથે પરીક્ષાઓ આપવા જેવી બાબતો પર વાતચીત કરવા માટે આતુર છું.
હું #ExamWarriors પાસેથી સાંભળવા ઈચ્છું છું, પછી તે તેમના પ્રશ્નો હોય કે તેમના અનુભવો જે અન્ય લોકોને પ્રેરિત કરી શકે…”
https://innovateindia1.mygov.in/
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2212211)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam