ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના સંસ્થાપક ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર કૃતજ્ઞ રાષ્ટ્ર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભાજપની સ્થાપના સાથે અટલજીએ ભારતીય રાજકારણને રાષ્ટ્રીય હિત અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપતો રાજકીય વિકલ્પ પૂરો પાડ્યો
ભારતને પરમાણુ શક્તિ બનાવવાનું હોય કે સુશાસન સાકાર કરવાનું હોય, તેમના નેતૃત્વ હેઠળની NDA સરકારે દેશને એક શાસન મોડેલ રજૂ કર્યું જે વારસા અને વિજ્ઞાનને એકસાથે પ્રોત્સાહન આપે છે
ભારતીય રાજકારણમાં અટલજી જાહેર સેવા અને સંગઠનાત્મક શક્તિનું એક શક્તિશાળી પ્રતીક છે, જેને ક્યારેય ભૂલી શકાશે નહીં
प्रविष्टि तिथि:
25 DEC 2025 12:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના સંસ્થાપક ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર કૃતજ્ઞ રાષ્ટ્ર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના સંસ્થાપક, ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પર હું કૃતજ્ઞ રાષ્ટ્ર વતી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભાજપની સ્થાપના કરીને અટલજીએ ભારતીય રાજકારણને એક રાજકીય વિકલ્પ આપ્યો જે રાષ્ટ્રીય હિત અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રાથમિકતા આપતો હતો. ભારતને પરમાણુ શક્તિ બનાવવાનું હોય કે સુશાસન સાકાર કરવાનું હોય, તેમના નેતૃત્વ હેઠળની NDA સરકારે દેશને એક શાસન મોડેલ રજૂ કર્યું જે એકસાથે વારસા અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપે છે. અટલજી ભારતીય રાજકારણમાં જાહેર સેવા અને સંગઠનાત્મક શક્તિના એટલા સશક્ત હસ્તાક્ષર છે કે તેમને ક્યારેય ભૂલી શકાય નહીં."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2208438)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam