પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી શિબુ સોરેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 04 AUG 2025 10:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી શિબુ સોરેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટેના તેમના જુસ્સાની પ્રશંસા કરી.

X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

"શ્રી શિબુ સોરેનજી એક ગ્રાસરૂટ લેવલના નેતા હતા, જેઓ જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે ઉભરી આવ્યા હતા. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવાના કાર્ય માટે સમર્પિત હતા. તેમના નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2152025)