પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી
પ્રધાનમંત્રી નેતન્યાહૂએ પ્રધાનમંત્રીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જોવા મળતી પરિસ્થિતિ વિશે માહિતી આપી
પ્રધાનમંત્રીએ ભારતની ચિંતાઓ શેર કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
Posted On:
13 JUN 2025 11:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી.
પ્રધાનમંત્રી નેતન્યાહૂએ પ્રધાનમંત્રીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હાલમાં જોવા મળતી પરિસ્થિતિ વિશે માહિતી આપી.
પ્રધાનમંત્રી મોદીએ ભારતની ચિંતાઓ શેર કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2136329)