પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને વિદેશી નેતાઓ માટેનું શ્રીલંકાનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું

Posted On: 05 APR 2025 5:47PM by PIB Ahmedabad

શ્રીલંકાના રાષ્ટ્રપતિ, મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા, જે વિદેશી નેતાઓને આપવામાં આવતું દેશનું સર્વોચ્ચ સન્માન છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય નેતા આ પુરસ્કાર પ્રાપ્ત કરી રહ્યા છે. ભારત-શ્રીલંકા મિત્રતાને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ પ્રધાનમંત્રીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

2. ભારતના 1.4 અબજ લોકો વતી એવોર્ડ સ્વીકારતા, પ્રધાનમંત્રીએ આ સન્માન ભારત અને શ્રીલંકા વચ્ચેની ખાસ મિત્રતા અને બંને દેશોના લોકો વચ્ચેના વર્ષો જૂના સંબંધોને સમર્પિત કર્યું.

AP/IJ/GP/JD


(Release ID: 2119318) Visitor Counter : 41