નાણા મંત્રાલય
નાના મોડ્યુલર રિએક્ટર (SMR)ના સંશોધન અને વિકાસ માટે એક પરમાણુ ઊર્જા મિશન સ્થાપિત કરવામાં આવશે: બજેટ 2025-26
2033 સુધીમાં ઓછામાં ઓછા 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત કરવામાં આવશે
प्रविष्टि तिथि:
01 FEB 2025 12:58PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી, શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2025-2026નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, 20,000 કરોડ રૂપિયાના ખર્ચે નાના મોડ્યુલર રિએક્ટર (SMR)ના સંશોધન અને વિકાસ માટે એક પરમાણુ ઊર્જા મિશન સ્થાપિત કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે 2033 સુધીમાં ઓછામાં ઓછા 5 સ્વદેશી રીતે વિકસિત SMR કાર્યરત કરવામાં આવશે.
શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2047 સુધીમાં ઓછામાં ઓછા 100 GW પરમાણુ ઊર્જાનો વિકાસ આપણા ઊર્જા સંક્રમણ પ્રયાસો માટે જરૂરી છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય ભાગીદારી માટે પરમાણુ ઊર્જા કાયદા અને પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી કાયદામાં સુધારા હાથ ધરવામાં આવશે.

બજેટમાં એવો પણ પ્રસ્તાવ છે કે રાજ્યોને વીજળી વિતરણ સુધારા અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી વીજળી કંપનીઓની નાણાકીય સ્થિતિ અને ક્ષમતામાં સુધારો થશે. મંત્રીએ માહિતી આપી કે આ સુધારાઓના આધારે રાજ્યોને GSDPના 0.5 ટકા વધારાનું ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવશે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2098409)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam