પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
19 AUG 2024 2:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ત્રિપુરાના વિકાસમાં મહારાજાની અદમ્ય ભૂમિકાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ આશ્વાસન આપ્યું કે સરકાર ત્રિપુરાની પ્રગતિ માટે મહારાજાના વિઝનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું:
“હું મહાન મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપું છું. તેમણે ત્રિપુરાના વિકાસમાં અદમ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાનું જીવન ગરીબો અને વંચિત લોકોના સશક્ત બનાવવા માટે સમર્પિત કર્યું. આદિવાસી સમુદાયો માટે તેમના કલ્યાણના પગલાં વ્યાપકપણે આદરવામાં આવે છે. અમારી સરકાર ત્રિપુરાની પ્રગતિ માટે તેમના વિઝનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2046563)
आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam