પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરબિંદોને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 15 AUG 2024 11:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહાન ફિલસૂફ, વિચારક અને આધ્યાત્મિક નેતા શ્રી અરબિંદોને તેમની જન્મજયંતિના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

પ્રધાનમંત્રીની પોસ્ટમાં શ્રી અરબિંદોનો કાયમી વારસો અને ભારતના રાષ્ટ્રીય જાગૃતિ પર તેમની ઊંડી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ પોતાની શ્રદ્ધાંજલિમાં કહ્યું, "શ્રી અરબિંદોને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમને એક ઉલ્લેખનીય ફિલસૂફ, ચિંતક અને આધ્યાત્મિક નેતા તરીકે યાદ કરવામાં આવે છે. રાષ્ટ્રીય જાગૃતિ પર તેમનો ભાર પેઢીઓને પ્રેરણા આપતો રહે છે. આપણે તેમના દ્વારા જોવામાં આવેલા ભારતને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2045548) Visitor Counter : 24