નાણા મંત્રાલય

સરકાર નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવે છે


સ્ટાન્ડર્ડ રિડક્શન ₹ 50000થી વધારીને ₹ 75000

પગારદાર કર્મચારીને ₹ 17500 સુધીની બચત થાય છે

Posted On: 23 JUL 2024 1:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરતા પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરોને કરમાં રાહત આપવા માટે કેટલાક આકર્ષક લાભોની જાહેરાત કરી હતી.

નાણામંત્રીએ પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹50,000થી વધારીને ₹75,000 કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપરાંત પેન્શનરો માટે ફેમિલી પેન્શન પરની કપાતને નવી કર વ્યવસ્થા હેઠળ ₹15,000થી વધારીને ₹25,000 કરવાની દરખાસ્ત છે. આનાથી લગભગ ચાર કરોડ પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરોને રાહત મળશે.

શ્રીમતી સીતારમણે નવી કર વ્યવસ્થામાં કરવેરાના દરના માળખામાં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરી હતી, જે નીચે મુજબ છેઃ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001P28X.jpg

આ ફેરફારોને પરિણામે, નવી કર વ્યવસ્થામાં પગારદાર કર્મચારીને આવકવેરામાં વાર્ષિક ₹17,500 સુધીની બચત થાય છે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035916) Visitor Counter : 13