પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 20 FEB 2024 10:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે મિઝોરમની સતત પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

મિઝોરમના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ. ભારતને મિઝોરમની અનોખા સાંસ્કૃતિક વારસા, તેની સમૃદ્ધ સુંદરતા અને તેના લોકોની ઉષ્માભરી ભાવના પર ખૂબ ગર્વ છે. મિઝો સંસ્કૃતિ ખૂબ જ પ્રેરણાદાયક છે, જે પરંપરા અને સંવાદિતાના મિશ્રણને મૂર્ત બનાવે છે. મિઝોરમની સતત પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના.”

 

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2007297) Visitor Counter : 78