માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પરિક્ષા પે ચર્ચા 2024 સુધી રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધામાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
પરીક્ષા પે ચર્ચા 2024 માટે રેકોર્ડ 2.26 કરોડ રજિસ્ટ્રેશન
આ કાર્યક્રમમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવા માટે આતુર, દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ
Posted On:
24 JAN 2024 2:07PM by PIB Ahmedabad
પરીક્ષા પે ચર્ચા 2024 સુધી, વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવને પહોંચી વળવા માટે એક અનોખી પહેલ, રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધાનું આયોજન 23 જાન્યુઆરી, 2024ના રોજ કરવામાં આવ્યું, જેમાં, દેશભરનાં 774 જિલ્લાઓમાં 657 કેન્દ્રીય વિદ્યાલયો અને 122 નવોદય વિદ્યાલયો (એનવીએસ)માં સામેલ રહ્યા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તક પરીક્ષા વોરિયર્સ તરફથી પરીક્ષા મંત્રોની આસપાસ થીમ આધારિત આ મેગા ઇવેન્ટમાં 60,000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ દિવસને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને મહાન નેતાના જીવન પર પ્રેરિત કરે છે અને તેમનામાં દેશભક્તિની ભાવના જગાડે છે. આ પ્રેરણાદાયી સંદેશ પણ ચિત્રસ્પર્ધાનો વિષય હતો.
વિદ્યાર્થીઓની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે, શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની તમામ શાળાઓમાં પેઇન્ટિંગ સ્પર્ધા સહિત વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવી છે. 12 જાન્યુઆરી (રાષ્ટ્રીય યુવા દિવસ) થી 23 જાન્યુઆરી સુધી મેરેથોન રન, સંગીત સ્પર્ધા, મીમ સ્પર્ધા, નુક્કડ નાટક, પોસ્ટર મેકિંગ અને યોગ-કમ-ધ્યાન સત્રો જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
23 જાન્યુઆરી, 2024ના રોજ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહ અને લાગણી સાથે ભાગ લીધો હતો.



પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમનાં 7મા સંસ્કરણ "પરીક્ષા પે ચર્ચા 2024"માં MyGov પોર્ટલ પર 2.26 કરોડ રજિસ્ટ્રેશન નોંધ્યું છે. આ બાબત દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ દર્શાવે છે, જેઓ આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી સાથે સંવાદ સાધવા આતુર છે.
આ વર્ષે, પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ 29 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 11 વાગ્યાથી ભારત મંડપમ, આઇટીપીઓ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ટાઉન-હોલ ફોર્મેટમાં યોજાશે. આ કાર્યક્રમમાં લગભગ 3000 સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે. મુખ્ય કાર્યક્રમ માટે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક અને કલા ઉત્સવના વિજેતાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાંથી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ)ના સેંકડો (100) વિદ્યાર્થીઓ શરૂઆતથી પ્રથમ વખત આ કાર્યક્રમમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા માટે એક વિશાળ આંદોલનનો એક ભાગ છે, જેનું મુખ્ય કારણ પરીક્ષા પે ચર્ચા છે. આ એક એવું આંદોલન છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વિદ્યાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો અને સમાજને એકમંચ પર લાવવાનાં પ્રયાસોથી પ્રેરિત છે, જેથી દરેક બાળકનાં વિશિષ્ટ વ્યક્તિત્વની ઉજવણી થાય, તેને પ્રોત્સાહન મળે અને સંપૂર્ણ પણે વ્યક્ત કરી શકાય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અંગ્રેજી, હિન્દી અને અન્ય મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ અભૂતપૂર્વ, બેસ્ટ સેલિંગ પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ' એ આ અભિયાનને પ્રેરણા આપી છે.
YP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1999083)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam