પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જન નાયક કર્પૂરી ઠાકુરને તેમની જન્મશતાબ્દી પર નમન કર્યા
સમાજ અને રાજનીતિ પર કર્પૂરી ઠાકુરની અપ્રતિમ અસર વિશે પણ તેમના વિચારો શેર કર્યા
Posted On:
24 JAN 2024 9:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન નાયક કર્પૂરી ઠાકુરને તેમની જન્મશતાબ્દી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિશેષ અવસર પર અમારી સરકારને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનું સન્માન પ્રાપ્ત થયું છે.
શ્રી મોદીએ સમાજ અને રાજનીતિ પર કર્પૂરી ઠાકુરની અજોડ અસર વિશે પણ તેમના વિચારો શેર કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“હું જન નાયક કર્પૂરી ઠાકુરજીને તેમની જન્મશતાબ્દી પર નમન કરું છું. આ ખાસ અવસર પર અમારી સરકારને તેમને ભારત રત્ન આપવાનું સન્માન મળ્યું છે. મેં આપણા સમાજ અને રાજનીતિ પર તેમની અપ્રતિમ અસર વિશે થોડા વિચારો લખ્યા છે.”
“દેશભરના મારા પરિવારના સભ્યો વતી, જનનાયક કર્પૂરી ઠાકુર જીને તેમની જન્મ શતાબ્દી પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. આ ખાસ અવસર પર, અમારી સરકારને તેમને ભારત રત્નથી સન્માનિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે ભારતીય સમાજ અને રાજકારણ પર જે અવિસ્મરણીય છાપ છોડી છે તેના વિશે હું મારી લાગણીઓ અને વિચારો તમારી સાથે શેર કરી રહ્યો છું...https://nm-4.com/vLEoBk”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1999003)
Visitor Counter : 83
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam