પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કુવૈતના નવા અમીરને અભિનંદન પાઠવ્યા

Posted On: 20 DEC 2023 10:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના નવા અમીર તરીકેની જવાબદારી સંભાળવા બદલ મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ભારત-કુવૈત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે, જેનાથી મધ્ય પૂર્વના દેશમાં ભારતીય સમુદાયનો વિકાસ થશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"કુવૈત રાજ્યના અમીર તરીકેની જવાબદારી સંભાળવા બદલ મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહને શુભેચ્છાઓ અને અભિવાદન. વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં આપણા સંબંધો વધુ મજબૂત બનશે અને કુવૈતમાં ભારતીય સમુદાયની પ્રગતિ ચાલુ રહેશે. "

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1989031) Visitor Counter : 90