પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચક્રવાત મિચાઉંગ, ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં થયેલી જાનહાનિને શોક વ્યક્ત કર્યો

Posted On: 06 DEC 2023 12:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત મિચાઉંગને કારણે ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ આ ચક્રવાતમાં ઘાયલ અથવા અસરગ્રસ્ત લોકો માટે પણ પ્રાર્થના કરી અને કહ્યું કે સત્તાવાળાઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે જમીન પર અથાક કામ કરી રહ્યા છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમનું કાર્ય ચાલુ રાખશે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

મારા વિચારો એવા લોકોના પરિવારો સાથે છે જેમણે ચક્રવાત મિચાઉંગને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં. મારી પ્રાર્થનાઓ આ ચક્રવાતના પગલે ઘાયલ અથવા અસરગ્રસ્ત લોકો સાથે છે. સત્તાવાળાઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે જમીન પર અથાક કામ કરી રહ્યા છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમનું કાર્ય ચાલુ રાખશે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1982979) Visitor Counter : 79