પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પીએમ સ્વનિધિની પરિવર્તનકારી અસરનો સ્વીકાર કર્યો

Posted On: 24 OCT 2023 7:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલું એક ઊંડાણપૂર્વકનું સંશોધન શેર કર્યું છે જે પીએમ સ્વનિધિની પરિવર્તનકારી અસરનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરે છે.

SBIના ગ્રૂપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષ દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધન આ યોજનાના સમાવિષ્ટ સ્વરૂપને નોંધે છે અને તે કેવી રીતે નાણાકીય સશક્તિકરણ તરફ દોરી ગયું છે તે દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ધ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સૌમ્ય કાંતિ ઘોષનું આ ઊંડાણપૂર્વકનું સંશોધન પીએમ સ્વનિધિની પરિવર્તનકારી અસરનું ખૂબ જ સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે. તે આ યોજનાની સર્વસમાવેશક પ્રકૃતિને નોંધે છે અને તે કેવી રીતે નાણાકીય સશક્તિકરણ તરફ દોરી ગયું છે તે પ્રકાશિત કરે છે."

CB/GP/JD



(Release ID: 1970593) Visitor Counter : 102