પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડમાં પૂજા કરી

Posted On: 12 OCT 2023 11:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં પિથોરાગઢના પાર્વતી કુંડ ખાતે દર્શન અને પૂજા કરી હતી.

X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ આદિ કૈલાશના દર્શન કરી શકવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ દેશવાસીઓના કલ્યાણ અને સુખી જીવન માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઉત્તરાખંડના પિથોરાગઢના પવિત્ર પાર્વતી કુંડમાં દર્શન અને પૂજાથી હું અભિભૂત થયો છું. અહીંથી આદિ કૈલાશના દર્શનથી પણ હું ખુશ છું. પ્રકૃતિની ગોદમાં આવેલા આ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના સ્થાનથી મારા દેશના તમામ પરિવારના સભ્યોન સુખમય જીવનની કામના કરી.

 

તેમણે પાર્વતી કુંડની કેટલીક વધુ ઝલક શેર કરી

 

 

 

પ્રધાનમંત્રી કાર્યાલયે પણ X પર પોસ્ટ કર્યું:

 

"પાર્વતી કુંડની ઝલક, જ્યાં PM @narendramodiએ પ્રાર્થના કરી અને પૂજામાં ભાગ લીધો."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1966938) Visitor Counter : 106