પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ 21મી જૂને નાગરિકોને 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદ અપાવી

Posted On: 31 MAY 2023 8:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21મી જૂનના રોજ 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે નાગરિકોને યાદ અપાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું છે કે ચાલો આપણે તૈયાર થઈએ અને આ પ્રાચીન પ્રથાની ઉજવણી કરીએ જે આપણી માનસિક અને શારીરિક સુખાકારીમાં વધારો કરે છે.

આયુષ મંત્રાલયના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે!

ચાલો આપણે તૈયાર થઈએ અને આ પ્રાચીન પ્રથાની ઉજવણી કરીએ જે આપણી માનસિક અને શારીરિક સુખાકારીમાં વધારો કરે છે. ચાલો આપણે એક સ્વસ્થ અને સુખી સમાજનું નિર્માણ કરીએ."

YP/GP/JD



(Release ID: 1928840) Visitor Counter : 167