પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કંબોડિયાના રાજા મહામહિમ નોરોદોમ સિહામોની સાથે મુલાકાત કરી
ગાઢ સાંસ્કૃતિક સંબંધો અને વિકાસ ભાગીદારી પર વિચારોનું આદાનપ્રદાન કર્યું
મહામહિમે G 20ના ભારતના પ્રમુખપદની પ્રશંસા કરીઅને તેમની શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
30 MAY 2023 8:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 29-31 મે 2023 દરમિયાન ભારતની તેમની પ્રથમ સરકારી મુલાકાતે આવેલા કંબોડિયાના રાજા મહામહિમ નોરોદોમ સિહામોની સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી અને મહામહિમ, રાજા સિહામોનીએ બંને દેશો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધો, મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ક્ષમતા નિર્માણ સહિત વિવિધ ક્ષેત્રોમાં કંબોડિયા સાથે દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવાના ભારતના સંકલ્પની ખાતરી આપી હતી. મહામહેનતે વિકાસ સહકારમાં ભારતની ચાલી રહેલી પહેલો માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને G-20ના ભારતના પ્રમુખપદ માટે તેમની પ્રશંસા અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1928416)
મુલાકાતી સંખ્યા : 267
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam