પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સાંસદ અને પૂર્વ મંત્રી શ્રી રતનલાલ કટારિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 18 MAY 2023 10:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંસદ અને પૂર્વ મંત્રી શ્રી રતનલાલ કટારિયાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"સાંસદ અને ભૂતપૂર્વ મંત્રી શ્રી રતન લાલ કટારિયાજીના નિધનથી વ્યથિત છું. તેમને જનસેવા અને સામાજિક ન્યાય પ્રત્યેના તેમના સમૃદ્ધ યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમણે હરિયાણામાં ભાજપને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1925052) Visitor Counter : 180