પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મા કામાખ્યા કોરિડોર એક સીમાચિહ્નરૂપ પહેલ હશે: પીએમ

प्रविष्टि तिथि: 19 APR 2023 3:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે કાશી વિશ્વનાથ ધામ અને શ્રી મહાકાલ મહાલોક કોરિડોરની જેમ મા કામાખ્યા કોરિડોર પણ એક સીમાચિહ્નરૂપ પહેલ બની રહેશે.

એક ટ્વીટમાં, આસામના મુખ્ય પ્રધાન, શ્રી હિમંતા બિસ્વા સરમાએ એક ઝલક શેર કરી કે નવીનીકરણ કરાયેલ મા કામાખ્યા કોરિડોર નજીકના ભવિષ્યમાં કેવો દેખાશે.

આસામના મુખ્યમંત્રીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

મને ખાતરી છે કે મા કામાખ્યા કોરિડોર એક સીમાચિહ્નરૂપ પહેલ બની રહેશે.

જ્યાં સુધી આધ્યાત્મિક અનુભવનો સંબંધ છે ત્યાં સુધી કાશી વિશ્વનાથ ધામ અને શ્રી મહાકાલ મહાલોક પરિવર્તનકારી રહ્યા છે. એટલું જ મહત્વનું એ હકીકત છે કે પ્રવાસન વધે છે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે.”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1917909) आगंतुक पटल : 270
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam