પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ મહારાષ્ટ્રના રાયગઢમાં બસ દુર્ઘટનાને લીધે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

Posted On: 15 APR 2023 1:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

શ્રેણીબદ્ધ PMO ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહારાષ્ટ્રના રાયગઢમાં બસ દુર્ઘટનાથી દુઃખી છું. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું આશા રાખું છું કે ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે: PM"

"PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ રાયગઢમાં બસ દુર્ઘટનામાં મૃતકોના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM"

YP/GP/JD



(Release ID: 1916871) Visitor Counter : 157