પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગામડાઓના ઘરોમાં નળના પાણીના જોડાણના 60% કવરેજ માટે ખુશી વ્યક્ત કરી


પ્રધાનમંત્રીએ કહ્યું આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે

Posted On: 04 APR 2023 7:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગામડાઓના ઘરોમાં નળના પાણીના કનેક્શનના 60% કવરેજ માટે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે આ એક અદ્ભુત સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ઝડપે વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ગતિએ વધારવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1913661) Visitor Counter : 153