પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પીઢ ગાયિકા વાણી જયરામના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 04 FEB 2023 8:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ ગાયિકા વાણી જયરામના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વટ કર્યું;

"પ્રતિભાશાળી વાણી જયરામ જીને તેમના મધુર અવાજ અને સમૃદ્ધ કાર્યો માટે યાદ કરવામાં આવશે, જેમાં વિવિધ ભાષાઓ આવરી લેવામાં આવી હતી અને વિવિધ લાગણીઓ પ્રતિબિંબિત થઈ હતી. તેમનું નિધન સર્જનાત્મક વિશ્વ માટે એક મોટી ખોટ છે. તેના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

YP/GP/JD



(Release ID: 1896383) Visitor Counter : 118